નિધિ સ્વરૂપો

 

શ્રીનટવરલાલજી ની ભાવના

 નટ એટલે કે નૃત્ય કરનાર. નૃત્યમાં પારંગત છે તે નટવર અને નૃત્ય કરતાં શ્રીકૃષ્ણના આ સ્વરૂપને શ્રીનટવરલાલજી કહે છે. 

શ્રીનટવરલાલજી બન્ને ચરણ વડે નૃત્ય કરે છે, જમણા હસ્તમાં માખણ અને ડાબા હસ્તમાં થોર છે.  આ એક વર્ષના બાળકનું  સ્વરૂપ છે. આ સ્વરૂપમાં ગોપીઓ માખણ માટે લાલાને નચાવે છે, અને લાલો હાથમાં માખણ લઇને નાચે છે આમ બાળભાવથી નૃત્ય કરીને ભક્તોની ઇચ્છા પૂરી કરે છે અને સાથે સાથે ભક્તોની સામગ્રીને પણ અંગીકાર કરે છે.  આમ ભક્તોને આનંદ આપે છે.

શ્રીયમુનાજીમાંથી પ્રગટ થયેલાં આ સ્વરૂપ સાથે શ્રીવિઠ્ઠલનાથજી બાળસ્વરૂપે રમતાં. ત્યારબાદ તેમના પ્રથમ પુત્ર શ્રીગિરિધરજીને શ્રીમથુરાધીશજીની સાથે શ્રીનટવરપ્રભુને પણ પધરાવી દીધા. 

આ સ્વરૂપ પહેલાં ગોકુલમાં બિરાજમાન હતું, ત્યારબાદ તે કોટા, કોટા થી જોધપુર  થઇને અમદાવાદ આવ્યું. હાલ અમદાવાદમાં દોશીવાળાની પોળ માં આવેલી ગોસ્વામીહવેલી માં બિરાજમાન છે.

 

કામિની રોહિત મેહતા

© Kaminiben Mehta [email protected]

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli