આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક જગન્નાથ જોશીની માતા ખેરાળુમાં રહેતી હતી.
આચાર્યશ્રી ખેરાળુ પધાર્યા, ત્યારે ગામ બહાર એક બગીચામાં ઉતાર્યા હતા. તે સમયે જગન્નાથ જોશીની માતા જળ ભરવા ત્યાં આવી હતી. તેણે આચાર્યશ્રીના દર્શન કરતા તેમને સાક્ષાત પ્રભુના દર્શન થયા હોય તેવી ભાવના થઈ આવી. તેણે આચાર્યશ્રીના શરણે જવાનો નિર્ણય કર્યો, અને આચાર્યશ્રીને પોતાને શરણે લેવાની વિનંતી કરી.
શ્રી
મહાપ્રભુજીએ
કહ્યું
તું
દૈવી
જીવ
છે,
અને
તને
બે
દીકરા
થશે
તે
પણ
દૈવી
જીવ
સૃષ્ટિના
થશે.
પરંતુ
તારો
પતિ
દૈવી
જીવ
નથી
તેથી
તેનું
મૃત્યુ
થાય,
પછી
તું
અડેલ
આવજે.
ત્યારે
તને
બ્રહ્મસંબંધ
કરાવીશું.
પાંચ વર્ષ બાદ જ્યારે તે બાઈનો પતિ મરી ગયો, ત્યારે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તે બાઈ અડેલ ગઈ અને ત્યાં જઈને પોતાને શરણે લેવાની શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી. પરમ કૃપાનિધાન શ્રી મહાપ્રભુજીએ તે બાઈને બ્રહ્મસંબંધ દ્વારા શરણે લીધા અને એક ભગવદ સ્વરૂપ પણ તેમના માથે પધરાવી આપ્યું. તે બાઈ ભગવદ સ્વરૂપ સાથે થોડો સમય શ્રી મહાપ્રભુજીની ટહેલમાં રહી. પુષ્ટિમાર્ગની બધી જ રીત તેણે શીખી લીધી, પછી તે પોતાને ગામ પાછી ફરી.
તે
પોતાના
ઘરે
રાજસેવાના
બંધારણથી
પ્રીતિપૂર્વક
સેવા
કરતી,
ત્યારે
શ્રી
ઠાકુરજી
તેણે
પોતાનો
સાનુભાવ
જણાવતા.
આ
બાઈના
બંને
પુત્રો
નરહરિ
જોશી
અને
જગન્નાથ
જોશી
તરીકે
પુષ્ટિ
માર્ગમાં
જાણીતા
છે.
આચાર્યશ્રીના
આ
સેવકોને
આપણે
વંદન
કરીએ.
પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli